અસાઈત ઠાકર દ્વારા નિર્મિત ગુજરાતમાં લોકપ્રિય નાટ્ય પ્રકાર ''ભવાઈ'' વિષે મહત્વની જાણકારી
👉🏻ભવાઇ એ ગુજરાતનું એક પરંપરાગત લોકનાટ્ય સ્વરૂપ છે.
👉🏻ભવાઇ’ શબ્દમાં ‘ભવ’ એટલે વિશ્વ, જગત અથવા સર્વકાળ; ‘આઇ’ એટલે માતા.
👉🏻ભવાઇમાં મા અંબાની ભક્તિને કેન્દ્રમાં રાખી નાટક ભજવવામાં આવે છે.
👉🏻ભવાઇની શરૂઆત સિદ્ધપુરના ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણકુળમાં જન્મેલા કવિ-કથાકાર અસાઇત ઠાકરે કરી હતી.
👉🏻અસાઇત ઠાકરે ગંગા નામની દીકરીની લાજ રાખવા તેની સાથે ભોજન લીધું અને અસાઈતનો ધર્મભ્રષ્ટ થયો,તેથી બ્રાહ્મણોએ અસાઈતને નાતમાંથી બહાર કર્યા હતા.
👉🏻ભવાઇમાં બધાં પાત્રો પુરુષો દ્વારા જ ભજવવામાં આવે છે.
👉🏻ભવાઇની મંડળીના કલાકારોના પ્રમુખને નાયક તરીકે ઓળખવામાં આવે છે.
👉🏻ભવાઇના મુખ્ય પાત્રને રંગલો કહેવામાં આવે છે.
👉🏻અસાઇત ઠાકરે આશરે ૩૬૦ ભવાઇ વેશ લખ્યાની લોકવાયકા છે. તેમાં રામદેવનો વેશ જૂનામાં જૂનો છે.
👉🏻 કજોડાનો વેશ નાનકડા વર અને યુવાન પત્નીના જીવનનો ચિતાર આપે છે.
👉🏻શાસ્ત્રકારોએ ભવાઇને ભાવપ્રધાન નાટકો કહ્યાં છે.
👉🏻ભવાઈ મંડળી પંડુ નામથી ઓળખાય છે.
👉🏻ભવાઈ ના પિતા:- અસાઈત ઠાકર
👉અસાઈત ઠાકરની કર્મભૂમિ:- ઊંઝા
👉🏻ભવાઈ મંડળીમાં સ્ત્રીપાત્ર ભજવવાળી મંડળી કાંચળીયા તરીકે ઓળખાય છે.
👉🏻 ભવાઈ ના પ્રારંભમાં રંગલો અને રંગલી પ્રવેશ કરે અને ગણેશ-સ્તુતિથી ભવાઈની શરૂઆત થાય.
ભવાઈનાં મુખ્ય અંગો
👉ભવાઈના રાગો : માઢ, પ્રભાત, ગોડી, સોરઠ, મારુ, આશાવરી, વિહાગ, ભૈરવી, સારંગ, કાનડો, મલ્હાર.
તાલ : તરગડો, લાવણી, દોઢિયો, ચેતમાન, ચલતી, દીપચંદી, કેરવો, હીંચ.
👉🏻 વાદ્યો : ભૂંગળ, નરઘાં અને કાંસીજોડાં.
👉🏻 હંસાઉલી કૃતિના રચયિતા:--અસાઈત ઠાકર
👉🏻ભવાઈ શૈલી આધારિત પ્રથમ નાટક:- મિથ્યાભિમાન
👉🏻ભવાઈ શૈલી આધારિત પ્રથમ ગુજરાતી ફિલ્મ:- બહુરૂપી


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો