બંધારણનો ઇતિહાસ

                      બંધારણનો ઇતિહાસ(History of Constitution)


  • રેગ્યુલેટિંગ એક્ટ  1773
- અંગ્રેજો દ્વારા પસાર કરાયેલ પેહલો એક્ટ 
-  ઇસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા સંસદીય નિયંત્રણની શરૂઆત
-  1774માં બંગાળમાં એક સર્વોચ્ચ  ન્યાયાલયની સ્થાપના કરાઈ જેમાં 1 મુખ્ય ન્યાયાધીશ અને 3 અન્ય ન્યાયાધીશની નિમણુંક કરી(પ્રથમ મુખ્ય ન્યાયાધીશ સર એલિસા ઈમ્પૅ બન્યા)
-  બંગાળના ગવર્નરને અંગ્રેજો નીચેના તમામ ક્ષેત્રોના ગવર્નર તરીકે નિયુક્ત કરાયો (આવી રીતે સમગ્ર ભારતનો પ્રથમ ગવર્નર જનરલ વોર્ન હેસ્ટીંગ બન્યો  
-  કમ્પનીના અધિકારીઓને વ્યક્તિગત વ્યાપાર અને ભારતીય લોકો પાસેથી ભેટસોગાદો અને લાંચ લેવા પર પ્રતિબંધ મુક્યો

  • સુધારેલ અધિનિયમ   1981  
-  ભારતીયોના સામાજીક અને ધાર્મિક રીતિ રિવાજોનું સમ્માન કરવાનો નિર્દેશ અપાયો 
  • પીટનો ધારો  1784

-  રાજકીય બાબતો કંપની પાસેથી લઇ બ્રિટન સરકારે હસ્તગત કરી
-  કંપનીને માત્ર વ્યાપાર વાણિજ્ય ની જવાબદારી સોંપાઈ
-  ભારતમાં કંપની અધિકૃત પ્રદેશો માટે પ્રથમવાર ''બ્રિટિશ અધિકૃત ભારતીય પ્રદેશ'' એવું નામ આપવામાં આવ્યું
-  મુંબઈ અને મદ્રાસને સંપૂર્ણ રૂપે બંગાળને આધીન કરી દેવામાં આવ્યુ
-  દેશી રાજાઓ સાથે યુદ્ધ અથવા સંધિ કરતા પેહલા ગવર્નર જનરલે કમ્પનીના ડાયરેક્ટરોની મંજૂરી લેવી અનિવાર્ય હતી
-  ભારતમાં કાર્યરત અંગ્રેજ અધિકારીઓ પર કેસ ચલાવા ઈંગ્લેન્ડમાં એક કોર્ટની સ્થાપના થઇ

  • ચાર્ટર અધિનિયમ 1793     

 -  કંપનીને વધુ 20 વર્ષ માટે વ્યાપાર કરવાનો પરવાનો આપવામાં આવ્યો
 -  બોર્ડ ઓફ કન્ટ્રોલ ના સભ્યોને પગાર ભારતિય મુદ્રા કોષ માંથી આપવામાં આવ્યો
 -  ગવર્નરના પરિષદના સભ્ય બનવા માટે ભારતમાં 12 વર્ષ રહેવાના અનુભવની શરતી જોગવાઈ

  • ચાર્ટર અધિનિયમ 1813     

 -  કંપનીનો વ્યાપાર કરવાનો એકાધિકાર સમાપ્ત કરાયો તથા તમામ બ્રિટિશ નાગરિકો માટે ભારતીય બજાર ખુલ્લું કરાયું
 -  ઈસાઈ મિશનરીઓને ભારતમાં ધર્મ પ્રચાર કરવાની છૂટ આપવામાં આવી

  • ચાર્ટર અધિનિયમ 1833 
-  બંગાળના ગવર્નર જનરલને ભારતનો ગવર્નર જનરલ બનાવામાં આવ્યો
-  કંપનીની તમામ વ્યાપારિક ગતિવિધિ બંધ કરવામાં આવી
-  ભારતમાં દાસપ્રથાને ગેરકાનુની જાહેર કરાઈ
(પ્રથમ લો કમિશન નિમાયુંજેના અધ્યક્ષ ''લોર્ડ મેકોલે'' બન્યાઆ કમિશને 1837માં IPC નો ખરડો તૈયાર કર્યો)
-  ભારતમાં અંગ્રેજી શિક્ષણ પદ્ધતિની શરૂઆત થઈ
-  બંગાળનો ગવર્નર જનરલ સંપૂર્ણ ભારતનો ગવર્નર જનરલ બન્યો
-  ''વિલિયમ બેન્ટીક'' ભારતનો સૌ પ્રથમ ગવર્નર જનરલ બન્યો
-  અંગ્રેજોને પરવાના વગર ભારત આવવાનીવસવાની અને જમીન ખરીદવાની છૂટ મળી
-  ભારતમાં દાસપ્રથાની સમાપ્તિ કરી દેવાઈ (નોંધ - 1853 ચાર્ટર એક્ટ દ્વારા કેન્દ્રીય વિધાન મંડળનો પાયો નખાયો.તેને ભારતની સૌ પ્રથમ સંસદ કહેવામાં આવી) 
  • ચાર્ટર અધિનિયમ 1853
-  અંતિમ ચાર્ટર અધિનિયમ
-  ભારતમાં સિવિલ સેવાનો પ્રારંભ (1854માં મેકોલેસમિતિની રચના કરાઈ) 
-  વિધાન પરિષદની સભ્ય સંખ્યા વધારીને 12 કરાઈ.

  • ભારત શાસન અધિનિયમ 1858    
-  સંપૂર્ણ ભારત બ્રિટિશ તાજની સતા હેઠળ આવ્યું.
-  કોર્ટ ઓફ ડાયરેકટર્સ અને બોર્ડ ઓફ કન્ટ્રોલ બન્નેની સમાપ્તિ કરાઈ.
-   ''સેક્રેટરી ઓફ ઇન્ડિયા'' (ભારત સચિવ) નામના નવા પદનું સર્જન કરાયું
-  ભારત સચિવની સહાયતા માટે 15 સભ્યોની બનેલ ભારતીય પરિષદની રચના
-  ગવર્નર જનરલ નું પદ સમાપ્ત કરી વાઇસરૉયના પદનું સર્જન કરાયું (ભારતનો સૌ પ્રથમ વાઇસરોય - લોર્ડ કેનિંગ)

  •  ભારત પરિષદ અધિનિયમ 1861       
-  1859માં કેનિંગ દ્વારા પોર્ટફોલિયો પદ્ધતિને માન્યતા
-  વાઇસરોયને વટહુકમ બહાર પાડવાની સત્તા
-  મદ્રાસ અને મુંબઈને કાયદો બનાવાની શક્તિ પુન: આપીને વિકેંદ્રીકરણની શરૂઆત.
-  કાયદો બનાવાની પ્રક્રિયામાં ભારતીય પ્રતિનિધિઓને સમાવવાની શરૂઆત કરાઈ (આ અંતર્ગત 1862માં કેનિંગે ત્રણ ભારતીયો બનારસના રાજાપાટિયાલાના રાજા અને સર દીનકરરાવનો વિધાન પરિષદમાં સમાવેશ કર્યો.

  • ભારતીય પરિષદ અધિનિયમ 1892          
-  સૌ પ્રથમવાર ચૂંટણી વ્યવસ્થાની શરૂઆત.
-  વિધાન પરિષદને બજેટ પર ચર્ચા કરવા અને કારોબારીને પ્રશ્નો પૂછવાની છૂટ આપવામાં આવી.

  • ભારતીય પરિષદ અધિનિયમ 1909(મોર્લે-મિન્ટો એક્ટ)

-  ભારતીય સચિવ - મોર્લેવાઇસરોય - મિન્ટો
-  ચૂંટણી માટે મતદાર મંડળની સભ્યતા માટે આવકસંપત્તિ અને શેક્ષણિક લાયકાતને આધાર બનાવાયો
-  સાંપ્રદાયિક ચૂંટણી વ્યવસ્થાની શરૂઆત થઇ (આથી મિન્ટોને સાંપ્રદાયિક ચૂંટણી વ્યવસ્થાના જનક મનાય છે.)
-  ગવર્નર જનરલની કારોબારીમાં એક ભારતીય સભ્યની નિમણુંક કરવાની જોગવાઈ (સૌ પ્રથમ નિમણુંક પામેલ ભારતીય સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા)

  • ભારત શાસન અધિનિયમ 1919(મોન્ટેગ્યુ-ચેમ્સફર્ડ સુધારો)      
-  ભારત સચિવ - મોન્ટેગ્યુવાઇસરોય - ચેમ્સફર્ડ
-  દ્વેધ શાસન પ્રણાલીની શરૂઆત (દ્વેધ શાસન પ્રણાલીના જન્મદાતા - સર લિયોનીલ કોટીશ)
-  દેશમાં સૌ પ્રથમ પ્રત્યક્ષ ચૂંટણી વ્યવસ્થાની શરૂઆત
-  મહિલાઓને મત આપવાનો અધિકાર મળ્યો
-  સૌ પ્રથમવાર કેન્દ્રીય બજેટને રાજ્યના બજેટથી અલગ કરવામાં આવ્યું અને રાજ્યની વિધાન પરિષદોને પોતાનું બજેટ બનાવવાનો અધિકાર આપવામાં આવ્યો
-  કેન્દ્રમાં દ્વી સદનીય શાસન વ્યવસ્થાની શરૂઆત
-  1926માં લોકસેવા આયોગ (સિવિલ સર્વિસ કમિશન) ની રચના કરાઈ
-  લંડનમાં ભારતના ઉચ્ચાયુક્તનાં કાર્યાલયનું સર્જન થયું


  • ભારત શાસન અધિનિયમ 1935                                                                                                       
-  પુરુષો અને મહિલાઓને સમાન મત અધિકાર આપવામાં આવ્યો
-  લાંબો વિસ્તૃત દસ્તાવેજ બનાવામાં આવ્યો જેમાં 321 કલમો અને 10 અનુસુચીઓ હતી.
-  પ્રધાનમંત્રી અને મંત્રી જેવા શબ્દોનો સૌ પ્રથમ પ્રયોગ થયો
-  બર્માને ભારતથી અલગ કરવામાં આવ્યું
-  ઉડ઼ીસા અને સિંધ બે નવા પ્રાંતો બનાવવામાં આવ્યા
-  ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના 1-એપ્રિલ-1935 માં કરવામાં આવી.
-  સંઘ લોકસેવા આયોગ અને પ્રાંતોમા લોકસેવા આયોગની સ્થાપના કરવામાં આવી
-  1937માં સંઘીય ન્યાયાલય (Federal court) ની સ્થાપના કરવામાં આવી


       -ભારતની બંધારણસભાનો ઇતિહાસ-

-  ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ૧૯૩૫માં બંધારણ સભા રચવાની સૌ પ્રથમ માંગણી કરી.
-  આખરે 1940માં આ માગણી સ્વીકારીજે ઓગષ્ટ ઓફર તરીકે ઓળખાઈ.
-  બંધારણ સભાની પ્રથમ બેઠક ડીસેમ્બર ૯૧૯૪૬ નાં રોજ મળી હતી.
-  ૨૯ ઓગષ્ટ ૧૯૪૭ના રોજ બંધારણ ઘડવા માટે સમિતિ રચવામાં આવી.
-  બંધારણ સભાના કાર્યકારી અધ્યક્ષ ડૉ.સચ્ચિદાનંદ સિંહા બન્યા અને ત્યારબાદ ડો. રાજેન્દ્રપ્રસાદ સૌ પ્રથમ ચૂંટાયેલા અધ્યક્ષ બન્યા.
-  26 નવેમ્બર, 1949ના રોજ બંધારણ સભાના અધ્યક્ષ ઉપરાંત 284 સભ્યોએ બંધારણ ઉપર પોતાના હસ્તાક્ષર કર્યા.
-  બંધારણ બનાવતા ૨ વર્ષ૧૧ મહિના અને ૧૮ દિવસ લાગ્યા હતા.
-  બંધારણ ઘડવાનો ખર્ચ રુ/- ૬૪ લાખ થયો હતો.
-  બંધારણ ઘડવાનો સૌ પ્રથમ વિચાર સર.એમ.એન.રોય ને આવ્યો હતો.
-  બંધારણના પ્રારૂપ પર વિચાર કરવા બંધારણસભાએ 266 દિવસ સુધી બેઠકો કરી.
-  ભારતના બંધારણમાં ૧૨ પરિશિષ્ટો૪૪૬ અનુચ્છેદ છે.
-  જયારે બંધારણસભા દ્વારા પસાર કરાયેલા બંધારણમાં કુલ 395 અનુચ્છેદઅને 8 અનુસૂચિઓ હતી.
-  બંધારણનું આમુખ જવાહારલાલ નહેરુએ ''ઉદેશ્ય પ્રસ્તાવ'' તરીકે રજૂ કર્યુ હતું. અને આમુખ તૈયાર કરનાર બંધારણસભાના સલાહકાર સર બેનીગલરાવ (બી.એન.રાવ) હતા.
-  ૨૬ જાન્યુઆરી૧૯૫૦ નાં રોજ ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું.
-  જયારે આમુખનો વિચાર અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવ્યા હતો.

            -બંધારણસભાની સમિતિઓ અને તે સમિતિના અધ્યક્ષો-

-  મૂળભૂત અધિકાર અને અલ્પસંખ્યક સમિતિ - વલ્લભભાઈ પટેલ
-  પ્રાંતીય બંધારણ સમિતિ                                - વલ્લભભાઈ પટેલ
-  સંઘ શક્તિ સમિતિ                                         - જવાહરલાલ નહેરુ
-  સંઘ બંધારણ સમિતિ                                     - જવાહરલાલ નહેરુ
-  પ્રારૂપ સમીક્ષા સમિતિ                                   - અલ્લાદી ક્રિષ્નાસ્વામી ઐયર

ટિપ્પણીઓ