બંધારણનો ઇતિહાસ

                      બંધારણનો ઇતિહાસ(History of Constitution)

(બંધારણ વાંચવા માટેના ઉત્તમ પુસ્તક  ડો. શેહજાદ કાજી નું 'ભારતનું બંધારણ અને રાજનીતિ અને યુવા ઉપનિષદનું અજય પટેલ નું 'ભારતીય બંધારણ અને રાજ વ્યવસ્થા છે જે તમે અહી ઉપર ક્લિક કરી એમેજોન પરથી મંગાવી શકો છો)

  • રેગ્યુલેટિંગ એક્ટ  1773
- અંગ્રેજો દ્વારા પસાર કરાયેલ પેહલો એક્ટ 
-  ઇસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા સંસદીય નિયંત્રણની શરૂઆત
-  1774માં બંગાળમાં એક સર્વોચ્ચ  ન્યાયાલયની સ્થાપના કરાઈ જેમાં 1 મુખ્ય ન્યાયાધીશ અને 3 અન્ય ન્યાયાધીશની નિમણુંક કરી(પ્રથમ મુખ્ય ન્યાયાધીશ સર એલિસા ઈમ્પૅ બન્યા)
-  બંગાળના ગવર્નરને અંગ્રેજો નીચેના તમામ ક્ષેત્રોના ગવર્નર તરીકે નિયુક્ત કરાયો (આવી રીતે સમગ્ર ભારતનો પ્રથમ ગવર્નર જનરલ વોર્ન હેસ્ટીંગ બન્યો  
-  કમ્પનીના અધિકારીઓને વ્યક્તિગત વ્યાપાર અને ભારતીય લોકો પાસેથી ભેટસોગાદો અને લાંચ લેવા પર પ્રતિબંધ મુક્યો

  • સુધારેલ અધિનિયમ   1981  
-  ભારતીયોના સામાજીક અને ધાર્મિક રીતિ રિવાજોનું સમ્માન કરવાનો નિર્દેશ અપાયો 
  • પીટનો ધારો  1784

-  રાજકીય બાબતો કંપની પાસેથી લઇ બ્રિટન સરકારે હસ્તગત કરી
-  કંપનીને માત્ર વ્યાપાર વાણિજ્ય ની જવાબદારી સોંપાઈ
-  ભારતમાં કંપની અધિકૃત પ્રદેશો માટે પ્રથમવાર ''બ્રિટિશ અધિકૃત ભારતીય પ્રદેશ'' એવું નામ આપવામાં આવ્યું
-  મુંબઈ અને મદ્રાસને સંપૂર્ણ રૂપે બંગાળને આધીન કરી દેવામાં આવ્યુ
-  દેશી રાજાઓ સાથે યુદ્ધ અથવા સંધિ કરતા પેહલા ગવર્નર જનરલે કમ્પનીના ડાયરેક્ટરોની મંજૂરી લેવી અનિવાર્ય હતી
-  ભારતમાં કાર્યરત અંગ્રેજ અધિકારીઓ પર કેસ ચલાવા ઈંગ્લેન્ડમાં એક કોર્ટની સ્થાપના થઇ

  • ચાર્ટર અધિનિયમ 1793     

 -  કંપનીને વધુ 20 વર્ષ માટે વ્યાપાર કરવાનો પરવાનો આપવામાં આવ્યો
 -  બોર્ડ ઓફ કન્ટ્રોલ ના સભ્યોને પગાર ભારતિય મુદ્રા કોષ માંથી આપવામાં આવ્યો
 -  ગવર્નરના પરિષદના સભ્ય બનવા માટે ભારતમાં 12 વર્ષ રહેવાના અનુભવની શરતી જોગવાઈ

  • ચાર્ટર અધિનિયમ 1813     

 -  કંપનીનો વ્યાપાર કરવાનો એકાધિકાર સમાપ્ત કરાયો તથા તમામ બ્રિટિશ નાગરિકો માટે ભારતીય બજાર ખુલ્લું કરાયું
 -  ઈસાઈ મિશનરીઓને ભારતમાં ધર્મ પ્રચાર કરવાની છૂટ આપવામાં આવી

  • ચાર્ટર અધિનિયમ 1833 
-  બંગાળના ગવર્નર જનરલને ભારતનો ગવર્નર જનરલ બનાવામાં આવ્યો
-  કંપનીની તમામ વ્યાપારિક ગતિવિધિ બંધ કરવામાં આવી
-  ભારતમાં દાસપ્રથાને ગેરકાનુની જાહેર કરાઈ
(પ્રથમ લો કમિશન નિમાયુંજેના અધ્યક્ષ ''લોર્ડ મેકોલે'' બન્યાઆ કમિશને 1837માં IPC નો ખરડો તૈયાર કર્યો)
-  ભારતમાં અંગ્રેજી શિક્ષણ પદ્ધતિની શરૂઆત થઈ
-  બંગાળનો ગવર્નર જનરલ સંપૂર્ણ ભારતનો ગવર્નર જનરલ બન્યો
-  ''વિલિયમ બેન્ટીક'' ભારતનો સૌ પ્રથમ ગવર્નર જનરલ બન્યો
-  અંગ્રેજોને પરવાના વગર ભારત આવવાનીવસવાની અને જમીન ખરીદવાની છૂટ મળી
-  ભારતમાં દાસપ્રથાની સમાપ્તિ કરી દેવાઈ (નોંધ - 1853 ચાર્ટર એક્ટ દ્વારા કેન્દ્રીય વિધાન મંડળનો પાયો નખાયો.તેને ભારતની સૌ પ્રથમ સંસદ કહેવામાં આવી) 
  • ચાર્ટર અધિનિયમ 1853
-  અંતિમ ચાર્ટર અધિનિયમ
-  ભારતમાં સિવિલ સેવાનો પ્રારંભ (1854માં મેકોલેસમિતિની રચના કરાઈ) 
-  વિધાન પરિષદની સભ્ય સંખ્યા વધારીને 12 કરાઈ.

  • ભારત શાસન અધિનિયમ 1858    
-  સંપૂર્ણ ભારત બ્રિટિશ તાજની સતા હેઠળ આવ્યું.
-  કોર્ટ ઓફ ડાયરેકટર્સ અને બોર્ડ ઓફ કન્ટ્રોલ બન્નેની સમાપ્તિ કરાઈ.
-   ''સેક્રેટરી ઓફ ઇન્ડિયા'' (ભારત સચિવ) નામના નવા પદનું સર્જન કરાયું
-  ભારત સચિવની સહાયતા માટે 15 સભ્યોની બનેલ ભારતીય પરિષદની રચના
-  ગવર્નર જનરલ નું પદ સમાપ્ત કરી વાઇસરૉયના પદનું સર્જન કરાયું (ભારતનો સૌ પ્રથમ વાઇસરોય - લોર્ડ કેનિંગ)

  •  ભારત પરિષદ અધિનિયમ 1861       
-  1859માં કેનિંગ દ્વારા પોર્ટફોલિયો પદ્ધતિને માન્યતા
-  વાઇસરોયને વટહુકમ બહાર પાડવાની સત્તા
-  મદ્રાસ અને મુંબઈને કાયદો બનાવાની શક્તિ પુન: આપીને વિકેંદ્રીકરણની શરૂઆત.
-  કાયદો બનાવાની પ્રક્રિયામાં ભારતીય પ્રતિનિધિઓને સમાવવાની શરૂઆત કરાઈ (આ અંતર્ગત 1862માં કેનિંગે ત્રણ ભારતીયો બનારસના રાજાપાટિયાલાના રાજા અને સર દીનકરરાવનો વિધાન પરિષદમાં સમાવેશ કર્યો.

  • ભારતીય પરિષદ અધિનિયમ 1892          
-  સૌ પ્રથમવાર ચૂંટણી વ્યવસ્થાની શરૂઆત.
-  વિધાન પરિષદને બજેટ પર ચર્ચા કરવા અને કારોબારીને પ્રશ્નો પૂછવાની છૂટ આપવામાં આવી.

  • ભારતીય પરિષદ અધિનિયમ 1909(મોર્લે-મિન્ટો એક્ટ)

-  ભારતીય સચિવ - મોર્લેવાઇસરોય - મિન્ટો
-  ચૂંટણી માટે મતદાર મંડળની સભ્યતા માટે આવકસંપત્તિ અને શેક્ષણિક લાયકાતને આધાર બનાવાયો
-  સાંપ્રદાયિક ચૂંટણી વ્યવસ્થાની શરૂઆત થઇ (આથી મિન્ટોને સાંપ્રદાયિક ચૂંટણી વ્યવસ્થાના જનક મનાય છે.)
-  ગવર્નર જનરલની કારોબારીમાં એક ભારતીય સભ્યની નિમણુંક કરવાની જોગવાઈ (સૌ પ્રથમ નિમણુંક પામેલ ભારતીય સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા)

  • ભારત શાસન અધિનિયમ 1919(મોન્ટેગ્યુ-ચેમ્સફર્ડ સુધારો)      
-  ભારત સચિવ - મોન્ટેગ્યુવાઇસરોય - ચેમ્સફર્ડ
-  દ્વેધ શાસન પ્રણાલીની શરૂઆત (દ્વેધ શાસન પ્રણાલીના જન્મદાતા - સર લિયોનીલ કોટીશ)
-  દેશમાં સૌ પ્રથમ પ્રત્યક્ષ ચૂંટણી વ્યવસ્થાની શરૂઆત
-  મહિલાઓને મત આપવાનો અધિકાર મળ્યો
-  સૌ પ્રથમવાર કેન્દ્રીય બજેટને રાજ્યના બજેટથી અલગ કરવામાં આવ્યું અને રાજ્યની વિધાન પરિષદોને પોતાનું બજેટ બનાવવાનો અધિકાર આપવામાં આવ્યો
-  કેન્દ્રમાં દ્વી સદનીય શાસન વ્યવસ્થાની શરૂઆત
-  1926માં લોકસેવા આયોગ (સિવિલ સર્વિસ કમિશન) ની રચના કરાઈ
-  લંડનમાં ભારતના ઉચ્ચાયુક્તનાં કાર્યાલયનું સર્જન થયું


  • ભારત શાસન અધિનિયમ 1935                                                                                                       
-  પુરુષો અને મહિલાઓને સમાન મત અધિકાર આપવામાં આવ્યો
-  લાંબો વિસ્તૃત દસ્તાવેજ બનાવામાં આવ્યો જેમાં 321 કલમો અને 10 અનુસુચીઓ હતી.
-  પ્રધાનમંત્રી અને મંત્રી જેવા શબ્દોનો સૌ પ્રથમ પ્રયોગ થયો
-  બર્માને ભારતથી અલગ કરવામાં આવ્યું
-  ઉડ઼ીસા અને સિંધ બે નવા પ્રાંતો બનાવવામાં આવ્યા
-  ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના 1-એપ્રિલ-1935 માં કરવામાં આવી.
-  સંઘ લોકસેવા આયોગ અને પ્રાંતોમા લોકસેવા આયોગની સ્થાપના કરવામાં આવી
-  1937માં સંઘીય ન્યાયાલય (Federal court) ની સ્થાપના કરવામાં આવી


       -ભારતની બંધારણસભાનો ઇતિહાસ-

-  ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ૧૯૩૫માં બંધારણ સભા રચવાની સૌ પ્રથમ માંગણી કરી.
-  આખરે 1940માં આ માગણી સ્વીકારીજે ઓગષ્ટ ઓફર તરીકે ઓળખાઈ.
-  બંધારણ સભાની પ્રથમ બેઠક ડીસેમ્બર ૯૧૯૪૬ નાં રોજ મળી હતી.
-  ૨૯ ઓગષ્ટ ૧૯૪૭ના રોજ બંધારણ ઘડવા માટે સમિતિ રચવામાં આવી.
-  બંધારણ સભાના કાર્યકારી અધ્યક્ષ ડૉ.સચ્ચિદાનંદ સિંહા બન્યા અને ત્યારબાદ ડો. રાજેન્દ્રપ્રસાદ સૌ પ્રથમ ચૂંટાયેલા અધ્યક્ષ બન્યા.
-  26 નવેમ્બર, 1949ના રોજ બંધારણ સભાના અધ્યક્ષ ઉપરાંત 284 સભ્યોએ બંધારણ ઉપર પોતાના હસ્તાક્ષર કર્યા.
-  બંધારણ બનાવતા ૨ વર્ષ૧૧ મહિના અને ૧૮ દિવસ લાગ્યા હતા.
-  બંધારણ ઘડવાનો ખર્ચ રુ/- ૬૪ લાખ થયો હતો.
-  બંધારણ ઘડવાનો સૌ પ્રથમ વિચાર સર.એમ.એન.રોય ને આવ્યો હતો.
-  બંધારણના પ્રારૂપ પર વિચાર કરવા બંધારણસભાએ 266 દિવસ સુધી બેઠકો કરી.
-  ભારતના બંધારણમાં ૧૨ પરિશિષ્ટો૪૪૬ અનુચ્છેદ છે.
-  જયારે બંધારણસભા દ્વારા પસાર કરાયેલા બંધારણમાં કુલ 395 અનુચ્છેદઅને 8 અનુસૂચિઓ હતી.
-  બંધારણનું આમુખ જવાહારલાલ નહેરુએ ''ઉદેશ્ય પ્રસ્તાવ'' તરીકે રજૂ કર્યુ હતું. અને આમુખ તૈયાર કરનાર બંધારણસભાના સલાહકાર સર બેનીગલરાવ (બી.એન.રાવ) હતા.
-  ૨૬ જાન્યુઆરી૧૯૫૦ નાં રોજ ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું.
-  જયારે આમુખનો વિચાર અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવ્યા હતો.

            -બંધારણસભાની સમિતિઓ અને તે સમિતિના અધ્યક્ષો-

-  મૂળભૂત અધિકાર અને અલ્પસંખ્યક સમિતિ - વલ્લભભાઈ પટેલ
-  પ્રાંતીય બંધારણ સમિતિ                                - વલ્લભભાઈ પટેલ
-  સંઘ શક્તિ સમિતિ                                         - જવાહરલાલ નહેરુ
-  સંઘ બંધારણ સમિતિ                                     - જવાહરલાલ નહેરુ
-  પ્રારૂપ સમીક્ષા સમિતિ                                   - અલ્લાદી ક્રિષ્નાસ્વામી ઐયર

(બંધારણ વાંચવા માટેના ઉત્તમ પુસ્તક  ડો. શેહજાદ કાજી નું 'ભારતનું બંધારણ અને રાજનીતિ અને યુવા ઉપનિષદનું અજય પટેલ નું 'ભારતીય બંધારણ અને રાજ વ્યવસ્થા છે જે તમે અહી ઉપર ક્લિક કરી એમેજોન પરથી મંગાવી શકો છો)

ટિપ્પણીઓ